राष्ट्रीय

ઓ…….મ……. વડાપ્રધાન તપ કરી રહ્યાં છે, આવતીકાલ સુધી ધ્યાનમાં રહેશે..

ઓ.......મ....... વડાપ્રધાન તપ કરી રહ્યાં છે, આવતીકાલ સુધી ધ્યાનમાં રહેશે..

કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ચાલુ છે. પીએમ મોદી વિવેકાનંદની પ્રતિમા સામે ધ્યાન કરી રહ્યા છે. પીએમ મોદીએ કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાન કર્યું.

વડાપ્રધાન મોદીનું ધ્યાન આવતીકાલે એટલે કે શનિવારે સાંજ સુધી ચાલુ રહેશે. સાતમા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદી કન્યાકુમારીમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પીએમ મોદી આગામી 35 કલાક સુધી મૌન રહેશે.

વડાપ્રધાન ગઈકાલે મોડી સાંજથી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરી રહ્યા છે. 75 દિવસની લાંબી ચૂંટણી પ્રક્રિયા બાદ ગઈકાલે સાંજે જ્યારે પ્રચારનો ઘોંઘાટ ઓછો થયો ત્યારે વડાપ્રધાન ગઈકાલે એટલે કે ગુરુવારે ધ્યાન કરવા કન્યાકુમારી પહોંચ્યા હતા. PM મોદી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે 1892માં ધ્યાન કર્યું હતું. ત્યાં વિવેકાનંદની પ્રતિમા છે જ્યાં પીએમ મોદી ધ્યાન કરી રહ્યા છે.

ચૂંટણીનો પડઘમ શાંત થતાં જ પીએમ મોદી કન્યાકુમારી પહોંચ્યા. સૌ પ્રથમ તેઓ ભગવતી અમ્માન ગયા. દક્ષિણ ભારતીય પારંપારિક વસ્ત્રોમાં સજ્જ, તે ઉઘાડા પગે અને હાથ જોડીને  મંદિરની અંદર ગયા હતા. આ પછી મંદિરમાં હાજર પૂજારીઓએ પીએમ માટે વિધિવત પૂજા કરી હતી.

Related Articles

Back to top button