રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે નાગપુરમાં મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણો દેશ ભારતમાં વિવિધાતાઓથી ભરેલો છે. આપણી તરફ આખી દુનિયાની નજર છે. તેમણે આગળ કહ્યું કે, ભારતને ભારત તરીકે મોટો બનાવાનો છે. અમેરિકા આખી દુનિયામાં પોતાનો ડંડો ચલાવે છે. ચીન પોતાનું સામર્થ્ય્નો વિસ્તાર કરવાની કોશિશમાં રહે છે.
ભાગવતે કહ્યું કે, આપણે જ આ જાત-પાતની ખાડી બનાવી છે. નાના અહંકારનું ષડયંત્ર કરીએ છીએ, તેમણે કહ્યું કે વિશ્વ વિવિધતાના સંચાલન માટે ભારત તરફ જુએ છે. ભાગવતે કહ્યું કે ટાટા પાછળ વિવેકાનંદ પ્રેરણા હતા. ચીનમાં શક્તિનું થો઼ડુ અવતરણ થયું, આપણે જોઈ શકીએ છીએ કે તે વિશ્વમાં શું કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારત અહિંસાનો પૂજારી છે, દુર્બલતાનો પૂજારી નથી. તેમણે કહ્યું કે, અખંડ ભારતની વાત કરીએ છીએ તો લોકો ડરી જાય છે. બોલે છે ક્યારે થશે. જ્યારે ડરવાનું છોડી દેશો. ત્યારે અખંડ ભારત થશે.




