sabarkathaराष्ट्रीय

હાશકારોઃ માવાની મુવાડીમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયો..

હાશકારોઃ માવાની મુવાડીમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયો..

હાલમાં વરસાદની મોસમમાં વાંદરાઓ કે જેને કપિરાજ કહીએ તેઓ એક સ્થળેથી બીજા સ્થળે વૃક્ષો પર હુપાહુપ કરીને  લોકોને પણ હેરાન કરી રહ્યી ઘટનાઓ બની રહી છે. અઅમદાવાદ નિકોલ વિસ્તારમાં એક કપિરાજે રીતસર આતંક મચાવ્યો હતો અને છેવટે તે પાંજરે પૂરાયો તેમ  સાબરકાંઠામાં પણ કપિરાજોએ ઉપદ્રવ મચાવ્યો છે.

વિગતે જોઇએ તો, પ્રાંતિજના માવાની મુવાડી ગામે આતંક મચાવનાર કપિરાજને આખરે પાંજરે પુરાવામાં સફળતા મળી હતી અને લોકોએ રાહત અનુભવી હતી. આ કપિરાજે એક બાળક પર જીવલેણ હુમલો કરતા ઘાયલ થયો હતો. જેના પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગે. સ્થાનિકો અને ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા તેઓ  પાંજરા સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા. અને આરએફઓ સહિતના વન કર્મીઓએ ચાર-પાંચ કલાકની ભારે જહેમત બાદ કપિરાજ પાંજરે પુરાયો હતો.

Related Articles

Back to top button