
અરવલ્લીમાં રાજકીય પક્ષોના નેતાઓની અવરજવર વધી રહી છે. ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થાય તેમ હોવાથી પોતાની બેઠકો બચાવવા ભિલોડાના મોહનપુર ગામે કોંગ્રેસનું મહાસંમેલન યોજાશે.
રાજસ્થાનના સીએમ અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નિરિક્ષક અશોક ગહેલોત આ સભાને સંબોધશે. તૈયારીઓ માટે બાયડ ધારાસભ્ય જસુભાઈ પટેલ સભાસ્થળે પહોંચ્યા હતા.જસુભાઈ પટેલની ટીકીટને લઈ નારાજગીની વાતો વહેતી થઈ હતી.
ગેહલોતની સાથે પ્રદેશ કોંગી પ્રમુખ જગદિશ ઠાકોર ,પ્રભારી રઘુ શર્મા પણ હાજર રહેશે. ઉપરાંત વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા ,પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી પણ તેમાં હાજરી આપશે.




