૨૧ ડિસેમ્બર ના રોજ અરવલ્લી જિલ્લામાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરશે
અરવલ્લી જિલ્લામાં મુખ્યમથક મોડાસા ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતમાં યોજાશે કાર્યક્રમ
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક સ્તરે વિકાસ થયો છે.અને આજે ગુજરાત સાથે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 21 ડિસેમ્બર 2023 ના રોજ પધારશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે અરવલ્લી જિલ્લામાં પણ અનેક વિકાસ કાર્યો ખાતમુર્હત અને લોકાર્પણ થનાર છે.તો અરવલ્લી જિલ્લામાં ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમમાં અને અરવલ્લી જિલ્લાના વિકાસની ગાથા ના સાક્ષી બનવા માટે આપણે સૌ સહભાગી થઇએ.




