આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ માલપુર તાલુકા દ્વારા 11 સપ્ટેમ્બર 1893 દિગ્વિજય દિવસ નિમિત્તે અણીયોર હાઈસ્કૂલ, માલપુર તાલુકા ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ, અનુભવી-સિનિયર શિક્ષક ગિરીશભાઈ, સમીરભાઈ, લતાબેન તથા અન્ય શિક્ષકમિત્રો તેમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમની વકતૃત્વકળાની ક્ષમતા અનુસાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા અને સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિજેતા સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.




