राष्ट्रीयઅરવલ્લી

ભિલોડાના વાંકાનેર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

પ્રતિનિધિ:જયદીપ ભાટીયાઅરવલ્લી…..

શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ (શામળાજી) શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સમાજ /પંચ ધ્વારા સંચાલિત ભિલોડા તાલુકાના વાંકાનેર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ધાર્મિક કાર્યક્રમમાં ભકિતભાવપુર્વક શ્રધ્ધાભેર ઉજવાયો હતો.

પરમપુજય સંત શિરોમણી શ્રી શ્યામસુંદરદાસ મહારાજ (વસાઈ) વાળા હજ્જારો શ્રોતાઓને ભકિતભાવ પુર્વક ભક્તિમય રસપાન કરાવતા હજ્જારો શ્રોતાઓ તલ્લીન બન્યા હતા. આ પ્રસંગે .દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહેડાવી હતી.

શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ,શામળાજીના ટ્રસ્ટીઓ, દાતા પરીવારો, જ્ઞાતિજનો, વાંકાનેર ગ્રામજનો ધ્વારા સુંદર સુવિધાસભર વ્યવસ્થા કરાઈ છે. શ્રીમદ્ ભાગવત કથા / જ્ઞાનયજ્ઞ સપ્તાહ દરમિયાન હજ્જારો ભક્તો મહાપ્રસાદીનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.

Related Articles

Back to top button