sabarkathaराष्ट्रीय

સાંસદ બારાની અધ્યક્ષતામાં સિકલસેલ એનિમિયા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન….

સાંસદ બારાની અધ્યક્ષતામાં સિકલસેલ એનિમિયા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન....

ખેડબ્રહ્માના ગઢડા શામળાજી ખાતે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં સિકલસેલ એનિમિયા જનજાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

સિકલસેલ એનિમિયા આદિવાસી વિસ્તારમાં જોવા મળતો વરસાગત રોગ છે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી પ્રજાની સુખાકારી માટે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ હાથ ધરેલ છે.

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં સિકલસેલ રોગના 678 દર્દીઓ નોંધયેલા છે. આ રોગ આદિવાસી વસ્તીમાં વારસાગત રીતે થતો જોવા મળે છે. સિકલસેલ બીમારીના કારણે દર્દીઓના લોહીમાં રહેલ લાલ કણો જે સામાન્ય રીતે રકાબી જેવા હોય છે તે દાતરડા (સિકલ ) ના આકારના થાય છે અને રકતકણોનું આયુષ્ય 30 થી 40 દિવસનું થઇ જાય છે. તેમજ લાલ કણોની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થવાથી રકતાવાહિનીમાં પરિભ્રમણ કરવાની ક્ષમતા ઘટી જાય છે.

આ બીમારીમાં રકતકણો પૂરતા પ્રમાણમાં ના બનતા હોવાથી દર્દીમાં એનિમિયા જોવા મળે છે. જિલ્લામાં આ રોગના દર્દીઓના પ્રમાણમાં વધારો ન થાય તે માટે જનસામાન્યમાં આ રોગ થવાના કારણો અંગે જાણકારી મળી રહે તે માટે સિકલસેલ રોગના વિષય નિષ્ણાંતશ્રીઓ  ડો. યઝદી માણેકશા ઇટાલિયા (પદ્મશ્રી ), EX. ડાયરેક્ટર, સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ, ગુજરાત શ્રી ભાવેશ, આસી. ડાયરેક્ટર, વલસાડ રક્તદાન કેન્દ્ર અને ડો. મેહુલ ડેલીવાલા.પૂર્વ, રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી દ્વારા સિકલસેલના દર્દીઓ, ખાનગી અને સરકારી દવાખાનાના તબીબો સાથે વિષયોચિત સંવાદ યોજવામાં આવ્યો હતો.

વિસ્તારના પ્રજાજનોમાં જનજાગૃતિના ઉમદા હેતુસર નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આજના કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ ચેરમેન અનસૂયાબેન ગામેતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા,  જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આરોગ્ય શાખાના અધિકારી -કર્મચારીઓ અને મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Back to top button