
ગાયત્રી મંદિર વિસ્તાર કાંકણોલ હિંમતનગર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી આ ધન્ય ધરા પર થઈ રહી છે. ભક્તગણ મોટી સંખ્યામાં આવીને દર્શનનો લાભ પ્રાપ્ત કરી રહ્યાં છે.
આ આયોજનના ભાગ રૂપે પ્રથમ દિવસે ભક્તિમય શોભાયાત્રા સાથે સ્થાપન કરીને રોજ આરતી પૂજા ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે. જેમાં મહાપ્રસાદ , દરરોજ ચા- નાસ્તામાં ભારે સંખ્યામાં ભક્તોને લાભ મળે છે.
આ ઉપરાંત, એક દિવસ લોક ડાયરો તથા નાના બાળકો માટે એક દિવસ જાદુગર નો શો કરીએ છીએ અને બાળકો માટે રમત ગમતનું પણ આયોજન થાય છે.છેલ્લા દિવસે ભવ્ય સ્થાનિક વિસ્તારમાં શોભાયાત્રા સાથે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ક્રુતિમ તળાવ બનાવીને વિસર્જન થાય છે…




