Blog

બોટાદના ધારાસભ્ય મા.શ્રી ઉમેશભાઈ મકવાણા તિરંગા છાવણી ગાંધીનગર ખાતે જોડાયા..

પ્રતિનિધિ:ધીરજ લેઉઆ....

અમારા આંદોલનના સમર્થનમાં બોટાદના ધારાસભ્ય શ્રી

સતત પંદર દિવસથી તિરંગા છાવણીએ  ઉપસ્થિત રહી  મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ રૂબરૂ ચર્ચા કરીને તાત્કાલિક માંગણી સંતોષાય તેવી તેઓએ પણ્ રજૂઆત કરી..

જેમાં શિક્ષણને લગતા વિવિધ પ્રશ્નો..

માજી સૈનિકોની માંગણીઓ..

મૂલ્ય આધારિત બુનિયાદી વિષયો ની ભરતી ની માંગણી..

શિક્ષકોની ભરતીમાં નવો રાઉન્ડ માટેની માંગણીઓ.. પ્રશ્નપત્રોમાં કરેલી ભૂલો સ્વીકારી એનો નિકાલ કરવો.

હમણાં ની તમામ ભરતીઓમાં અનામત બાબતે ગોટાળા કર્યા છે તેમાં સુધારા ની માંગ..

સહિત વિવિધ પ્રશ્નો નો તાત્કાલિક હલ આવે એ બાબતે દિવસ-રાત ધરણા અને પ્રતિક ઉપવાસ આંદલન ચાલી રહ્યું છે.

જ્યાં મોટી સંખ્યામાં સાથ સહકાર આપી સતત ઉપસ્થિત મારા સર્વે આંદોલનકારી ભાઈ બહેનો નો હ્રદયપૂર્વક ખૂબ ખૂબ ખૂબ આભાર…!!!

( વિશેષ નોંધ. રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સહિત કોંગ્રેસના અમિતભાઈ  ચાવડા, AAP ના ગોપાલભાઈ ઇટાલીયા, જીગ્નેશભાઈ મેવાણી, શંકરસિંહ વાઘેલા સહિત અન્ય રાજકીય આગેવાનોને પણ અમારા પ્રતિનિધિઓ મળ્યા છે અને રજૂઆત કરી છે…)

Related Articles

Back to top button