આપઘાતઃ હોળી-ધૂળેટી પર્વમાં જ શોકનું વાતાવરણ, મહિલાએ કૂવામાં ઝંપલાવી જીવન ચૂંકાવ્યું…
આપઘાતઃ હોળી-ધૂળેટી પર્વમાં જ શોકનું વાતાવરણ, મહિલાએ કૂવામાં ઝંપલાવી જીવન ચૂંકાવ્યું...
સાબરકાંઠામાં હોળી પર્વના પ્રસંગમાં જ એક અરેરાટી વ્યાપે એવી એક ઘટનામાં જિલ્લાના વડાલી તાલુકામાં એક મહિલાએ કૂવામાં કૂદીને જીવન ટુંકાવ્યું હતું. આપઘાતની આ ઘટના વડાલી તાલુકાના ધરોદ ગામમાં બની હતી.
વિગતે જોઇએ તો, પતિ જોડે ખટરાગ થતા મહિલાએ છેવટે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો અને ઘરેથી ચાલી જઇને .ગુસ્સામાંને ગુસ્સામાં રસ્તામાં આવતા કૂવામાં ઝંપલાવી મહીલા મોતને વ્હાલું કર્યું હતું.
ગામના લોકોને આ અંગેની જાણ થતાં તરત જ સૌ કોઇ ઘટના સ્થળે એકત્ર તાય હતા અને કુવામાં ઝંપલાવનાર મહિલાના મૃતદેહને ભારે જહેમત પછી બહાર કઠાયો હતો. અને ત્યરબાદ 108 મારફતે મહિલાના મૃતદેહને વડાલી સિવિલ ખાતે લવાયો હતો.
વર્તમાનમાં હોળી ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો અને .પિયર પક્ષ અને મહિલાની સાસરીમાં શોકનો માહોલ સર્જાયો હતો. વડાલી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.




