બકરાચોર ટોળકી પાસેથી રૂ. ૬.૭૮ લાખ નો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી સાબરકાંઠા
બકરાચોર ટોળકી પાસેથી રૂ. ૬.૭૮ લાખ નો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠાનાઓએ જીલ્લામાં બનતાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ. એ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. ડી.સી.પરમાર, તથા પો.સ.ઈ આર.કે.રાવત નેત્રમ કમાન્ડ કંટ્રોલ તથા એ.એસ.આઈ. દેવુસિંહ, તથા હે.કો. વિનોદભાઈ, કલ્પેશકુમાર તથા પો.કો. પ્રહર્ષકુમાર, હિમાંશુ, પ્રવિણસિંહ, દર્શનકુમાર, નિરીલકુમાર, હરસિંધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. ઈન્દ્રજીતસિંહ, નરેન્દ્રસિંહ તથા ટેક્ એ.એસ.આઈ. બ્રિજેશકુમાર તથા હિમાંશુરાજ વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી હતી.
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં ત્રણેક મહિનામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રિના સમયે નાના મોટા બકરાઓની ચોરી થયેલાના બનાવો બનેલ હોય જેમાં છેલ્લે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં તા.૧૦/૦૧/૨૦૨૪ ના રોજ લાલપુર ગામમાં રાત્રીના સમયે એક ફોરવ્હીલ ગાડીમાં આવેલ ઇસમો ફરિયાદી ઉપર હુમલો કરી બકરાઓની ચોરી કરેલ અને તા.૨૭/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રિના સમયે ઇલોલ ગામમાં એક સફેદ કલરની અટીંગા જેવી ફોરવ્હીલ ગાડીમાં આવેલ ઇસમોએ બકરાઓની ચોરી કરી હોવાના બે અલગ અલગ બનાવો બનેલ હોય જે ગુન્હાઓના કામે તમામ જગ્યાઓની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. વિડીયો ફુટેજ ચકાસણી કરી ટેકનિકલ સર્વેલન્સ કરતાં સદર ગુન્હાઓ કોઇ એક જ ગેંગ દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાઈ આવ્યું હતું
ઉપરોક્ત ટીમ ગઇ તા.૦૯/૦૨/૨૦૨૪ ના રોજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અ.પો.કો. પ્રવિણસિંહ તથા અ.પો.કો. દર્શનકુમાર નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, “ઉપરોક્ત બકરા ચોરીઓને અંજામ આપનાર ગેંગના માણસો એક સફેદ કલરની અર્ટીગા ગાડી નંબર GJ07DA0705 ની લઈ કાટવાડ રોડથી અંદરના રસ્તાઓ હાપા ગામની આજુબાજુ તા.હિંમતનગર ખાતે કોઈ ચોરીને અંજામ આપવા આવી રહ્યા છે.”
જે બાતમી આધારે ઉપરોક્ત ટીમના માણસો હાપા ગામ નજીક જતાં ત્યા ઉપરોકત બાતમી મુજબની સફેદ કલરની અટીંગા ગાડી નંબર GJ07DA0705 જોવા મળતાં સદર ગાડીને રોકી સદરી ગાડીમાં જોતાં ડ્રાઇવર સહિત બીજા ત્રણ ઇસમો બેઠેલ હોય સદરી ચારેય ઇસમોને પોતાની હાજરી તથા વાહનોના કાગળો બાબતે પુછતાં ગલ્લા-તલ્લા કરી કોઇ સંતોષ કારક હકિકત જણાવતાં નહોતી.
જેથી સદરી ઇસમો શંકાસ્પદ જણાતાં સદર ઇસમોના નામઠામ પુછતાં (૧) સંદીપભાઈ સન/ઓ છગનભાઈ સોમાભાઈ સલાટ (સોમપુરા) ઉ.વ.૨૪ રહે. રાલેજ, સોળ વીઘાનો ટેકરો તા.ખંભાત જી.આણંદ (૨) કીરીટભાઈ ઉર્ફે ગીગી સન/ઓ જયંતીલાલ સોમાભાઈ તળપદા (વાઘેલા) ઉ.વ.૨૩ રહે. ચકલાસી ભાગોળ, ફતેપુરા રોડ, રામજી મંદિર પાસે તા.નડીયાદ જી.ખેડા હાલ રહે. રાલેજ, સોળ વીધાનો ટેકરો તા.ખંભાત જી.આણંદ (છગનભાઈ સોમાભાઈ સલાટ ના ઘરે) (૩) કિરણભાઈ સન/ઓ રતીલાલ કમશીભાઈ ચુનારા (વાઘેલા) ઉ.વ.૨૬ હાલ રહે. જંત્રાલ તા.ખંભાત જી.આણંદ મળ રહે. મટોડા, મેલડી માતાના મંદિરની પાછળ તા.સાણંદ જી.અમદાવાદ (૪) નીતીનભાઈ ઉર્ફે હર્ષદ સન/ઓ ખોડાભાઈ વીરાભાઈ તળપદા ઉ.વ.૨૫ રહે. કાસોર, મહાદેવના મંદિર આગળ તા.સોજીત્રા જી.આણંદના હોવાનુ જણાવ્યું હતું.
સદર ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે અમો ચારેય જણાંઓ અમારી પાસેની અર્ટીગા ગાડી લઇ સાબરકાંઠા જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી નાના મોટા બકરાઓની ચોરીઓ કરેલ છે અને આજરોજ અમો કોઇ જગ્યાએ બકરા જોવા મળે તો તે જગ્યા જોઈને રાત્રે તે જગ્યા ઉપર ચોરી કરવા માટે નિકળેલ હતા સદર ઇસમોની પૂછપરછ કરતાં નીચેની વિગતે બકરા ચોરીની કબૂલાત કરેલ છે.




