UNCATEGORIZEDराष्ट्रीय

ગુંડાતત્વો સામે પગલા ભરવા સામખિયારી વેપારી સંગઠન દ્વારા રજૂઆત..

રિપોર્ટર: જયેશ ધેયડા...

કચ્છના સામખીયારીના સામખીયાળી વેપારી એશોશિએસન અને સામખીયારી લોહાણા મહાજન દ્વારા અસામાજિક તત્વો સામે પગલા ભરવા કચ્છ કલેકટર તથા પૂર્વ-કચ્છ એસપીને આવેદનપત્ર અપવામાં આવ્યું હતું.  

વિગતે જોઇએ તો, સામખીયારીના વેપારીની દુકાનો અસામાજિક તત્વો દ્વારા બળજબરીથી પડાવનાર સામે જલ્દી થી જલ્દી કડક કાર્યવાહી કરી અસામાજિક તત્વો સામે પગલા ભરાય તેવી માંગ સાથે સામખીયારી વેપારી એશોશિએસન તથા સામખીયારી લોહાણા મહાજન દ્વારા પ્રથમ કલેકટર કચેરી ભુજ અને ત્યારબાદ પુર્વ કચ્છ એસપી કચેરી ગાંધીધામ ખાતે આવેદન પત્ર આપ્યું હતું. 

જો સત્વરે પગલા નહીં લેવાય તો બંધનું એલાન આપવાની ચીંમકી પણ આપી છે. વેપારીઓનવે આશા છે કે ચૂંટણીના વર્ષમાં  આવા તત્વો સામે પગલા ભરાશે જ.

Related Articles

Back to top button