sabarkathaराष्ट्रीय

ભણશે ગુજરાતઃ સાબરકાંઠા જીલ્લાની શાળાઓમાં એસએમસીના સભ્યોની તાલીમ યોજાઈ…

ભણશે ગુજરાતઃ સાબરકાંઠા જીલ્લાની શાળાઓમાં એસએમસીના સભ્યોની તાલીમ યોજાઈ...

સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સાબરકાંઠા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ-એસએમસીના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ એસએમડીસીના સભ્યો માટે રાજય કક્ષાએથી 3 દિવસની તાલીમ પૈકી બીજા દિવસની તાલીમ તારીખ ૨૭/૧૨/૨૩ના રોજ ૧૧ થી ૧૨.૩૦ કલાક દરમિયાન રાજ્યકક્ષાએથી બાયસેગના માધ્યમથી યોજાઇ હતી.

જેમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતનકવર ગઢવિચારણ મેડમ અને સચિવ શ્રી  મહેશભાઇ મહેતા સમગ્ર શિક્ષાના માર્ગદર્શન અન્વયે અનિલભાઈ ઉપાધ્યાય આસિસ્ટન્ટ કન્વિનર ક્યુ સેલના સંકલનથી વિવિધ શાખાના નિષ્ણાતો દ્વારા એસએમસી તથા એસએમડીસીના સભ્યોને કાર્યો અને ફરજો, શાળા વિકાસ યોજના, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેના કાર્યક્રમો, માળખાકીય અને ડીઝીટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, કન્યા શિક્ષણ, શાળા આપત્તિ અને વ્યવસ્થાપન, વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારના બાળકોનું શિક્ષણ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

જેમાં તાલીમના દિવસે પ્રસારણના સમય દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓડીનેટર શ્રી હર્ષદ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મીતાબેન ગઢવી, ડાયટ પ્રિન્સિપાલશ્રી કે ટી પોરાણીયા તમામ ડાયટ લેકચરશ્રી, તમામ શિક્ષણ નિરીક્ષકશ્રી અને મદદનીશ શિક્ષણ નિરિક્ષક શ્રી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી.,સી.આર.સી કૉ-ઓર્ડીનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કચેરીમાં કામગીરી કરતા તમામ શાખાઓનાં કૉ-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓને જિલ્લાની નક્કી કરેલ શાળામાં હાજર રહી તાલીમ બાદ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તાલીમમાં કુલ ૧૧૬૨ શાળા વ્યવસ્થાપન સમિતિ ૨૪ શાળા સંચાલન અને વ્યવસ્થાપન સમિતિના કુલ ૧૧,૪૨૪ જેટલા સભ્યોએ હાજરી આપી હતી. જિલ્લા કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષ વ્યાસ મ. જિલ્લા પ્રોજેક્ટ કોડીનેટર સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમના અંતમાં સરકારશ્રીની યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત  આપણા જીલ્લામાંથી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટમાં પાસ થઇ એડમીશન લીધેલ બાળકોની માહિતી આપવામાં આવી હતી અને આ વખતે વધુ બાળકો પાસ થઇ પ્રવેશ મેળવી સરકારશ્રીની યોજનાનો લાભ મેળવે તેવું મુખ્ય શિક્ષકોએ માહિતી આપી સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. મીટીંગ ના અંતમાં ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button