
હમણાં જ જેમની સરકારને એક વર્ષ પૂર્ણ થયું તે રાજ્યના મૃદુ સ્વભાવના પણ મક્કમ મનોબળ ધરાવનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અરવલ્લી જિલ્લામાં આગમન થયું હતું. મુલાકાત દરમ્યાન માન. મુખ્યમંત્રીના વરદ હસ્તે અરવલ્લી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું..
જિલ્લામાં રૂ.275.05 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાપઁણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને મહેમાનો માન. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.




