राष्ट्रीय
બિગ ન્યૂઝઃ તલાટીની ભરતી માટેના નિયમોમાં મોટા ફેરફારો…ઝડપથી વાંચી લેજો…
બિગ ન્યૂઝઃ તલાટીની ભરતી માટેના નિયમોમાં મોટા ફેરફારો...ઝડપથી વાંચી લેજો...
સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા ગેરરિતીઓ સામે આવ્યા બાદ હવે સરકાર ભરતી પરીક્ષાઓની પદ્ધતિમાં મોટા પાયે ફેરફાર કરી રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મહત્વનો નિર્ણય લેવાયો છે. તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાયો છે. હવેથી તલાટી બનવા માટે સ્નાતક હોવું ફરજીયાત છે.
ગુજરાત સરકારની વર્ગ-3ની પરીક્ષાઓ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ હતી. હવે પંચાયત વિભાગ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરી આ નિયમમાં ફેરફાર કરાયો છે. બોર્ડે શૈક્ષણિક લાયકાતમાં કરેલા ફેરફાર મુજબ ધો-12 પાસ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હશે તે ઉમેદવારો જ તલાટીની પરીક્ષા આપવા માટે લાયક રહેશે. આ સિવાય તલાટીની પરીક્ષા આપવા માગતા ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 33 વર્ષ હતી તેને વધારીને 35 વર્ષ કરવામાં આવી છે.




