sabarkathaराष्ट्रीय
નંદ ઘેર આનંદ ભયો…. ધરોઈ જળાશય 100 ટકા ભરાયો….દુખ ભરે દિન બીતે રે ભૈયા…
નંદ ઘેર આનંદ ભયો.... ધરોઈ જળાશય 100 ટકા ભરાયો....દુખ ભરે દિન બીતે રે ભૈયા...
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી…..જેવો આનંદોલ્લાસ જેવા સમાચાર મળી રહ્યાં છે. જેમાં ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર એ છે કે પાંચ જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ જળાશય 100 ટકા ભરાયો છે.
ધરોઇના ઉપરવાસમાં 600 ક્યુસેક પાણીની આવક રહેતા ધરોઈ જળાશય સંપૂર્ણ ભરાઇ ગયો છે.. આવનાર દિવસોમાં પીવાનું પાણી અને સિંચાઇ માટે પાણીના પ્રશ્નોનું નિરાકારણ આવસે અને સમસ્યા પર પૂર્ણવિરામ મૂકાઇ જશે.
દેખીતી રીતે જે ખેડૂત જગતમાં ખુશીનો માહોલ છવાયો છે. કેમ કે ખેતી માટે પાણી એટલે ભગવાન સમાન. ખેતીને પાણી મળે તો તેમાંથી સોનુ પાકે એટલી મહેનત કરવા જિલ્લા ખેડૂતો તૈયાર છે….




