राष्ट्रीयઅરવલ્લી

સરસઃમોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ ગણેશજીની શુદ્ધ માટીની ૨૭ મૂર્તિઓ બનાવી…

પ્રતિનિધિ:કનુ (કરણ) વાળંદ,અરવલ્લી મોડાસા…

ગણેશ ચતુર્થી ઉત્સવ ઠેર ઠેર ઉજવણીની પરંપરા વધતી થતી જાય છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય તેમ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થાય તે માટે પણ  જાગરૂકતા વધતી જાય છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગણેશ ચતુર્થી પર વિશેષ આયોજન હાથ ધરાયું. હતું.

 કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ દ્વારા મંગળવારે કિશોરાવસ્થાના બાળકોને શુદ્ધ માટીમાંથી ગણેશજીની મૂર્તિ જાતે જ બનાવવાનું શીખવવામાં આવ્યું. જેમાં બાળકોની અલગ અલગ ટીમ દ્વારા ૨૭ મૂર્તિઓ વિઘ્નહર્તાની બનાવવામાં આવી હતી..

આ તમામ મૂર્તિઓનું ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બાળકો તથા તેમના વાલીઓ દ્વારા પૂજન આરતી કાર્યક્રમ યોજાયો હતો.. ત્યારબાદ આ તમામ બાળકો પોતાની બનાવેલ મૂર્તિ ઘરે લઈ જઈ સ્થાપના કરી ઉજવણી કરવાનું આયોજન હાથ ધરાયું હતું.

આ સમગ્ર આયોજન સફળ બનાવવામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન ટીમના વિલાસિનીબેન પટેલ, હેમંતભાઈ પટેલ, પંકજભાઈ પ્રજાપતિ, સમીરભાઈ પટેલ,  તેજસ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, પ્રિતિબેન કડિયા, જીમી પટેલ વિગેરેએ બાળકોને મૂર્તિઓ બનાવવા માર્ગદર્શન આપી બાળકોમાં પર્યાવરણ જતનની ભાવના જગાવવા પ્રયાસ કર્યો. હતો.

Related Articles

Back to top button