राष्ट्रीय

મક્કમ ભારતઃ પુટિન-જિનપિંગ નહીં આવે તો કાંઇ નહીં…સમિટ તો યોજાશે જ..

મક્કમ ભારતઃ પુટિન-જિનપિંગ નહીં આવે તો કાંઇ નહીં...સમિટ તો યોજાશે જ..

ભારતમાં આ વર્ષે થવા જઈ રહેલી G-20 Summitમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી નહીં આપે. જ્યાં સમિટમાં રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ કરશે ત્યાં જ ચીનની તરફથી પ્રધાનમંત્રી લી કિયાંગ ભારત આવશે.

તેને લઈને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ પહેલી વખત નથી જ્યારે G-20 Summitમાં કોઈ રાષ્ટ્રાધ્યક્ષ ન પહોંચ્યા હોય. પહેલા પણ આવું ઘણી વખત થયું છે.

જયશંકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, “અલગ અલગ સમય પર જી-20માં કોઈ ને કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી રહે છે. જે કોઈ કારણે પોતે નથી આવી શકતા. તેનાથી ફરક નથી પડતો. મહત્વનું એ છે કે તે દેશનો પક્ષ અને સ્થિતિ શું છે અને તે આ વાતથી સ્પષ્ટ થઈ જાય છે કે તે પોતાના કોઈ પ્રતિનિધિને જી-20 માટે મોકલે છે. મને લાગે છે કે જી-20માં બધા દેશ ખૂબ જ ગંભીરતાથી આવી રહ્યા છે.”

એક ઈન્ટરવ્યૂ વખતે વિદેશ મંત્રીને રશિયા-યુક્રેનને લઈને સવાલ કરવામાં આવ્યો. તેમને પુછવામાં આવ્યું કે રશિયાના વિદેશ મંત્રી ઈચ્છે તો યુક્રેન સંકટ પર તેમના વિચારને G-20 Summitના ભાષણમાં શામેલ કરી શકે છે. એવામાં શું G-20 Summit પહેલા શક્તિ પ્રદર્શન શરૂ થઈ ગયું છે?

Related Articles

Back to top button