અરવલ્લી જિલ્લામાંથી વરસાદે લગભગ વિદાય લઇ લીધી છે અને ભાદરવાના તાપમાં ચોરો પણ જંપીને બેસતા નથી.
વિગતે જોઇએ તો, મેઘરજના રેલ્લાવાડા જલારામ મંદિર અને દુકાનમાં ચોરીની ઘટના બનતા દોડધામ મચી હતી. ખાસ કરીને છેલ્લા 10 દિવસમાં બીજી વાર મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો થયો છે અને તસ્કરોએ મંદિરના ભગવાનને પણ છોડ્યા નથી,
રેલ્લાવાડા મંદિર તેમજ મંદિરના આગળના ભાગમાં આવેલ દુકાનના પણ તાળા તૂટ્યા છે અને તસ્કરોના કારણે અરવલ્લી જિલ્લામાં ચોરીની ઘટનાઓ વધતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.




