गुजरातराष्ट्रीय

માન.મોદીજી ફરી ગુજરાતની મુલાકાતે, ભાજપ કો જીતાના હૈ..બાકી સબ કો હરાના હૈ..!

માન.મોદીજી ફરી ગુજરાતની મુલાકાતે, ભાજપ કો જીતાના હૈ..બાકી સબ કો હરાના હૈ..!

અમદાવાદ: લોકપ્રિય વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી મોઢેરા ખાતે સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત બેચરાજીના દેલવાડા ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીના ત્રણ દિવસના કાર્યક્રમની વિગત જાણીએ. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક સ્થળોએ જાહેર સભા પણ સંબોધશે.

9 ઓક્ટોબર 2022:

  • રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
  • અમદાવાદ એરપોર્ટથી જ મોઢેરા જવા રવાના થશે.
  • સાંજે 5 કલાકે બેચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધન કરશે
  • સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. માતાની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે.
  • સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે.
  • રાત્રે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે.
  • અમદાવાદ એરપોર્ટથી રાજભવન પહોંચશે પીએમ.
  • રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.

10 ઓક્ટોબર, 2022:

  • સવારે 9 કલાકે સચિવાલય હેલીપેડથી આમોદ જવા રવાના થશે.
  • 10 કલાકે આમોદ પાસે જનસભાને સંબોધન કરશે.
  • આમોદથી આણંદ પહોંચશે.
  • બપોરે 12 કલાકે શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
  • આણંદથી પીએમ મોદી અડાલજ પહોંચશે.
  • અડાલજમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે.
  • બાદમાં અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે.
  • સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
  • જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.

11 ઓક્ટોબર, 2022:

  • સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે.

  • જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે.

  • બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ.

  • બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે.

  • સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.

Related Articles

Back to top button