14/08/2022ના રોજ શ્રી શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચલિત સાર્વજનિક પુસ્તકાલય અને નવા ગામના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અને હરઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તથા વકીલ જે.ડી. ઝાલા, સી.એ. ઝાલા, વિરમસિંહ ઝાલા તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ સંસ્થાના સેક્રેટરી રૂપાજી પ્રજાપતિ તથા જનવિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ દિપીકાબેન હાજર રહ્યાં હતાં આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ પુસ્તકાલય વિશે અને હર ઘર તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવી પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું




