sabarkathaराष्ट्रीय
પોતાનો ગઢ જાળવી રાખવા કોંગ્રેસના પ્રયાસો..ગેહલોતે બેઠક યોજી…
પોતાનો ગઢ જાળવી રાખવા કોંગ્રેસના પ્રયાસો..ગેહલોતે બેઠક યોજી...

સાબરકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. મોટા ભાગની બેઠકો કોંગ્રેસ જીતે છે. કોંગ્રેસના આ ગઢમાં આપ પાર્ટીએ પણ સભાઓ યોજીને કોંગ્રેસને નુકશાન પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો તેને સરભર કરવા કોંગ્રેસે પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે ખુ રાજસ્થાનના સીએમ પોતે જિલ્લામાં પધાર્યા અને બેઠક યોજી હતી.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, ગુજરાત પ્રભારી ડો રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સહિત કોંગ્રેસના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.




