સાબરકાંઠામાં ગૌવંશની ચોરીના બનાવો ચોંકાવનારા અને પશુપાલકો માટે ચંતાજનક કહી શકાય તેમ છે. કેમ કે હિંમતનગર જલારામ મંદિર પાસે ગાયોની ચોરી કરતા બે ઈસમો ઝડપાયા હતા. જેમાં સ્થાનિક લોકોએ ગાયો ચોરતા રંગે હાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા…
આ અંગે જીવદયા ટીમ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી. અને શહેરની “એ” ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ગાય ચોરી કરતા બંને ઇસમોને હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથક લઈ જવાયા અને પોલીસે કાયદાની વિવિધ કલમો હેઠળ તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી પશુપાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે…




