राष्ट्रीय

હાહાકારઃ કાનપુરમાં કાળઝાળ ગરમીથી 30 દિવસમાં 200નાં મોત…???

હાહાકારઃ કાનપુરમાં કાળઝાળ ગરમીથી 30 દિવસમાં 200નાં મોત...???

અહીં ઘણા લોકો મોતને ભેટ્યા છે. અમારી આસપાસ રહેતા 8-9 લોકો મૃત્યુ પામ્યા. ખાવા-પીવા માટે પણ કંઈ મળતું નથી. કાળઝાળ ગરમી પડી રહી છે. એક પછી એક લોકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં હતાં,. આટલું કહીને વૃદ્ધ મહિલા ચૂપ થઈ ગઈ. પછી તે બૂમ પાડીને અમને ભાગી જવા કહે છે, એમ. કાનપુર સેન્ટ્રલ સ્ટેશનની બહાર ફૂટપાથ પર બેઠેલી મહિલા દ્વારા જે કંઈપણ કહેવામાં આવ્યું હતું એ માત્ર એક ટ્રેલર સમાન હતું.

એક મિડિયાએ  સેન્ટ્રલ સ્ટેશનથી ઘંટાઘર ઇન્ટરસેક્શન સુધીનાં જુદાં જુદાં સ્થળોએ ફૂટપાથ પર રહેતા લોકો સાથે વાત કરી હતી. તો પ્રકાશમાં આવ્યું કે લગભગ 200 લોકો હવે આ વિસ્તારમાં દેખાતા નથી, એવું કહેવામાં આવ્યું હતું કે તેમાંથી મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા હતા. કારણ કાં તો બીમારી અથવા ગરમી હતી.

આ વાસ્તવિકતાને વધુ નજીકથી તપાસવા અમે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા. દસ્તાવેજો અનુસાર, છેલ્લા 30 દિવસમાં 416 લોકોનાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં છે, જેમાં 171 બિનવારસી મૃતદેહોનો સમાવેશ થાય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ, બંનેનો સમાવેશ થતો હતો. મોટા ભાગના મૃતદેહો ફૂટપાથ પરથી મળ્યા હતા. મૃતદેહનો દાવો ન હોવાને કારણે સામાજિક સંસ્થાઓએ ભૈરવ સ્મશાનગૃહમાં તેમના અંતિમસંસ્કાર કર્યા હતા.

Related Articles

Back to top button