
જીરુ આપણાં દરેકના રસોડામાં રહેલો એવો મસાલો છે જે ભોજનના સ્વાદમાં તો વધારો કરે જ છે, સાથે અઢળક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ આપે છે. જીરું એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી-ઓક્સિડન્ટ્સનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ સિવાય તેમાં એન્ટી-બેક્ટેરિયલ અન એન્ટી-સેપ્ટિક ગુણો પણ રહેલા છે જે પેટની અનેક સમસ્યામાં રાહત આપે છે.
જીરુ પાચનતંત્રને મજબૂત કરે છે અને ઉબકાં, સોજા તેમ જ કબજિયાતની સમસ્યા દૂર કરે છે. જો તમારે જીરાના અઢળક ફાયદાઓનો લાભ ઉઠાવવો હોય તો જીરાના પાણીથી ભરેલો એક ગ્લાસ પીવો. આ પાણી તૈયાર કરવા માટે થોડું જીરું લો અને પાણીમાં નાખીને નવશેકું ઉકાળો, આ પાણી ઠંડુ થઇ જાય ત્યારબાદ સવારે ખાલી પેટે તેનું સેવન કરો.
પેટ રાખશે દુરસ્ત

જીરાનું પાણી ઉબકાં, ઉલટી અને પેટના સોજામાં રાહત આપવામાં મદદ કરે છે, ઉપરાંત તે અપચાની સમસ્યા પણ દૂર કરે છે. જીરું દર્દ નિવારક તરીકે કામ કરે છે અને પેટ દર્દને ઠીક કરવામાં વિશેષ ફાયદો આપે છે. જીરાનું પાણી સામાન્ય રીતે પાચન એન્ઝાઇમના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે અને પાચનક્રિયા ઝડપી બનાવે છે. આ સિવાય તે આંતરડાંની સમસ્યા સામે લડવામાં મદદ કરે
ગર્ભાવસ્થા દરમિયાન પાચનમાં સુધાર

જીરું ગર્ભાવસ્થા દરમિયાન પાચનમાં સુધાર કરે છે, કારણ તે એન્ઝાઇમમાં વધારો કરે છે, જે કાર્બોહાઇડ્રેટ અને ચરબીના પાચન માટે આવશ્યક હોય છે. જીરું એક જાદૂઇ મસાલો છે જેના વિશે કહેવામાં આવે છે કે, આનાથી ગર્ભવતી સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન સંબંધિત અનેક સમસ્યાઓમાં રાહત આપે છે.
ડાયાબિટીસનો કરે છે ઇલાજ

જીરાનું પાણી ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઇએ. જીરું શરીરમાં ઇન્સ્યૂલિનના ઉત્પાદનને વધારે છે અને શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.




