राष्ट्रीयઅરવલ્લી

મેઘરજ એપીએમસીમાં અનાજ તેલીબીયા વગેરેની સીધી ખરીદી લાભ પાંચમથી શરૂ થશે

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી

તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ પ્રોસેસિંગ મંડળી દ્વારા લાભ પાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખેડૂતભાઈઓ જોગ એક સંદેશામાં જણાવાયું છે કે લાભ પાંચમ તારીખ 29 10 2022 ના શનિવારથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેઘરાજના સહયોગથી ખેડૂતોને પોષણક્ષમ અને વ્યાજબી ભાવ અને રોકડા નાણાં મળી રહે તે હેતુથી અનાજ તેલીબીયા વગેરેની સીધી ખરીદી મેઘરજ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ પ્રેસેસિંગ મંડળી દ્વારા કરવામાં આવશે.

Related Articles

Back to top button