અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું શામપુર ગામ જ્યાં મહાભારત કાળથી દીવાળી અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે…
પ્રાચીન પ્રસ્થાપિત પરંપરા અનુસાર, સ્થાનિક લોકો દ્વારા ૩૦ કિલો ઘીથી દીવો પ્રગટાવવામાં આવે છે ,આ દીવો સતત દેવ દીવાળી સુધી અખંડ જ્યોત રહે છે ,ડુંગર પર આશરે ૯૦૦ ફૂટ ઊંચી સપાટી પર દીવો અડીખમ રહે છે,. આજના આધુનિક યુગમાં મેરાયું શબ્દ લોકોને યાદ ભી નહિ હોય ત્યારે વર્ષો જૂની પરંપરા આજે પણ ગામ લોકો દ્વારા જાળવી રાખવામાં આવી છે તે બદલ તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે.,




