અરવલ્લી જીલ્લા પંચાયત ખાતે આજ રોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમા એજન્ડા મુજબ શિક્ષણ સમિતિની રચના કરવામા આવ હતી. જેમા પ્રાથમિક શિક્ષણ સમિતિના મેઘરજ જીલ્લા સદસ્ય અને અરવલ્લી જીલ્લાની શ્રેસ્ટ શાળા કે.એન.શાહ માધ્યમિક વિભાગમા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શાન્તાબેન જીતેદ્રકુમાર પરમારને ભારતીય જનતા પાર્ટી ધ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું.
આમ અરવલ્લી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનપદે શાન્તાબેન જીતેદ્રકુમાર પરમારની પસંદગી થતાં જીલ્લામાં અને મેઘરજ તાલુકામા ખુશી જોવા મળી હતી સાથે પરમાર શાન્તાબેને તમામનો આભાર માન્યો હતો.




